અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી, સુરત દ્વારા સરકારની હોસ્પિટલને લગતી યોજનાઓને લઈને ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ઘણી બધી હોસ્પિટલો દ્વારા યોજનાઓની સાથે દર્દી પાસેથી ઉપરથી રૂપિયા પણ લેવામાં આવે છે. તેવા આક્ષેપ સાથેઆમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન આપ્યું હતું.

