સુરતમાં કારગીલ વિજય દિવસ જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વીર શહીદ જવાનોના પરિવારજનોના વિશેષ સન્માન માટે તિરંગા યાત્રા યોજાઈ હતી. સમર્પણ ગૌરવ સન્માન સમારોહ અંતર્ગત BAPS મંદિર ગ્રાઉન્ડ, ધારૂકા કોલેજ સામે, કાપોદ્રાથી મિની બજાર સરદાર સ્મૃતિ ભવન સુધી આયોજિત તિરંગા યાત્રામાં ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા.

