દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મોટાભાગના લોકો પોતાના ઉદ્યોગ ધંધામાં રજા રાખીને વતન જતાં હોય છે. ત્યારે ચોરી-લૂંટની ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારથી સતર્કતા દાખવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઉદ્યોગ જગતના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તકેદારીના પગલાંઓ કેવા રાખવા જોઈએ તે અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

