અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 બાળકો હાલ સારવાર હેઠળ છે, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી બાળકોને લાવવામાં આવ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા, આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા બે બાળકોને ચાંદિપુરા વાયરસના લક્ષણ સામે આવતા તાત્કાલિકના ધોરણે દાખલ કર્યા છે.

