ભારતીય વૈદિક સંસ્કૃતિ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય ગુરુકુળ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 75 વર્ષથી ગુરુકુળ પરંપરા ચાલી રહી છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળના 50 સંતો હાલ હિમાલયના ચારધામની યાત્રાએ છે. આ દરમિયાન સંતો હરિયાણાના કુરુક્ષત્રમાં આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંચાલિત ગુરુકુળની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં આચાર્ય દેવવ્રતે સંતોને સમગ્ર ગુરુકુળથી માહિતગાર કર્યા હતાં.

