સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડો. રાજેશ પટેલનું એસિડ પી જવાના કારણે મોત નીપજ્યું છે. છેલ્લા 15 દિવસથી ડો. રાજેશ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમણે 15 દિવસ બાદ દમ તોડતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હાલ મોતને લઈને આપઘાતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

