Home / Gujarat / Surendranagar : AAP leader now comes out against Vikram Thakor's invitation to the assembly

વિક્રમ ઠાકોરના વિધાનસભામાં આમંત્રણ મુદ્દે હવે આપ નેતા આવ્યા સામે, જાણો શું કહયું

વિક્રમ ઠાકોરના વિધાનસભામાં આમંત્રણ મુદ્દે હવે આપ નેતા આવ્યા સામે, જાણો શું કહયું

તાજેતરમાં જ વિક્રમ ઠાકોરના વિધાનસભામાં આમંત્રણ અંગેના નિવેદનથી સમગ્ર ગુજરાતમાં લોકચર્ચાએ જોર પકડ્યું છે. વિક્રમ ઠાકોર મુદ્દે હવે આમ આદમી પાર્ટીના નેતા સામે આવ્યા છે. વિક્રમ ઠાકોર અને જે કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નથી આપવામાં આવ્યું તેને આપ નેતા રાજુ કરપડાએ સમર્થન જાહેર કર્યું છે. સાથે જે કલાકારોને આમંત્રણ નથી આપવામાં આવ્યું તે રાજકારણમાં સક્રિય થવા આહવાન પણ કરાયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેમજ કેટલાકને બાદ કરતા મોટાભાગના કલાકારો ભાજપની વાહવાહ કરતા હોવાથી તેમને વિધાનસભાની અંદર આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો આપ પ્રદેશ નેતા રાજુ કરપડાએ આક્ષેપ લગાવ્યો હતો. વધુમાં આક્ષેપ લગાવતાં તેમણે જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોર સહિત અન્ય કલાકારો સાથે પણ અન્યાય થયો છે. કલાકરોનો ઉપયોગ કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે.

Related News

Icon