Home / Gujarat / Surendranagar : chotila: The beloved horse was cremated like a relative

Surendranagar news: જીવથી વ્હાલી ઘોડીને સ્વજનની જેમ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

Surendranagar news: જીવથી વ્હાલી ઘોડીને સ્વજનની જેમ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલાના ખેરડી ગામના વતની મંગળુભાઈ જીલુભાઈ ખાચર તેમની ઘોડી રામચરણ પામેલી હોવાથી દરબાર મંગળુભાઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો. છેલ્લા 40 વરસથી આ ઘોડી મંગળુભાઈ પાસે જ હતી અને આ ઘોડી અને દરબાર મંગળુભાઇના મન મળી ગયા હતા. ઘોડી પ્રત્યે દરબાર મંગળુભાઈને અપાર પ્રેમ અને લાગણી હતી. જેથી તેમને આ વ્હાલસોયી ઘોડીની સમાધિ પણ એમની હોટેલ પાસે હનુમાનજીના મંદિર પાસે વાજતે-ગાજતે અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરીને વિધિવત આપી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખેરડીના અશ્વપાલક ગિરાસદાર મંગળુભાઇ ખાચરની ઘોડીનું અવસાનથી પરિવાર શોકમગ્ન

કાઠીઓ અને ઘોડીનો સંબંધ પહેલેથી જ ખૂબ ગાઢ રહેલો છે. કાઠી દરબારોને ઘોડાઓ પ્રત્યે અપાર પ્રેમ લાગણી હોય છે. આ ઉપરાંત આ રોજી ઘોડીએ સંત શિરોમણિ રામરતનગીરી બાપુએ શિવ લહેરી હોટેલ પર હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. તેની પ્રદક્ષિણા કરીને પ્રાણ છોડયા હતા એ પણ એક આશ્ચર્યજનક ઘટના કહેવામાં આવી રહી છે. ઘોડીને જ્યારે સમાધિ આપવામાં આવી ત્યારે માનવ મહેરામણ ઉમટયો હતો. 

Related News

Icon