સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા 500થી વધુ મકાનોમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓના અભાવના કારણે લાભાર્થીઓ રહેવા તૈયાર નથી.આ યોજના હેઠળ બનાવાયેલા મકાનોમાં પીવાનું પાણી, સાફ-સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે લાભાર્થીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

