શિયાળાની ઋતુમાં ચોર તસ્કરોની ટોળકીઓ વિપુલ માત્રામાં કાર્યરત થઈ જાય છે. એની સાથે ખાસ તો ઉત્તરાયણ જેવો તહેવાર આવવાથી ચોર તસ્કરોની ટોળકીઓને વધુ મોકળાશ મળી જાય છે. એવામાં જૂનાગઢમાંથી પાંચ કારખાનાના તાળાં તૂટતા સમગ્ર પંથકમાં સનસનાટીનો માહોલ મચી જવા પામ્યો છે. જુનાગઢ જિલ્લામાં સાબાલપુર ચોકડી નજીક ધોરાજી રોડ પર તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે.

