વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૩૧મે નો દિવસ વિશ્વ ટોબેકા નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા બીડી, સીગારેટ, ગુટખા વગેરેની હોળી કરવામાં આાવી હતી. જેમાં સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ. વાય. બી. ગોહિલ, તથા ગુરુકુલના પ્રભુ સ્વામી, ભંડારી સ્વામી કૃષ્ણપ્રસાદદાસજી, ભગવાનજી ભાઈ કાકડીયા તેમજ કાનાભાઈએ ‘ગુટખાની હોળી પ્રગટાવી હતી.

