ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો પ્રકાશમાં આવ્યો છે. હવે FIR હોવા છતાં પણ પાસપોર્ટ મળી શકશે. આરોપીને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ આપવાનો હાઈકોર્ટે આદેશ જાહેર કર્યો છે. હાઈકોર્ટે તેનું અવલોકન જાહેર કર્યું કે, માત્ર FIR નોંધાયેલી છે અને કોઈ કેસ ચાલતો નથી તો ટ્રાવેલ પર પ્રતિબંધ લગાડી શકાય નહીં. જો ફક્ત FIR નોંધાયેલી હોય અને કોઈ ફોજદારી કાર્યવાહી કોર્ટમાં ન ચાલતી હોય, તો વ્યકિતને વિદેશ જવા માટે પાસપોર્ટ આપવા પર કોઈ પ્રતિબંધ લગાવી શકાય નહીં.

