Gujarat Cadre IAS Officer Deputation: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ, કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના 4 IAS અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે. મનિષા ચંદ્રા, કે કે નિરાલા, સૈદિંગપુઈ છાકછુઆક અને સુપ્રીત સિંહ ગુલાટી આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે.

