ભારતીય ટીમ જૂનમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ સાથે, ભારતીય ટીમ નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલની શરૂઆત કરશે. જોકે, ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. રોહિતની નિવૃત્તિ પછી, સમાચાર આવ્યા કે વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યો છે.

