Ahmedabad news: ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરના પહલગામમાં ગત મહિને આતંકવાદી હુમલા બાદ 27 નિર્દોષોનાં મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધતો ગયો અને ત્યારબાદ ભારત સરકારે પાકિસ્તાનના આતંકવાદીઓ વિરુદ્ધ જે ઑપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ દરમિયાન ભારતના ચોતરફ હુમલા બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે આવી પરંતુ આ દરમ્યાન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોને એડવાઈઝરી જાહેર કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલને ઈમરજન્સી સ્થિતિમાં તૈયાર રહેવા સલાહ અને સૂચનો આપવામાં આવી હતી.

