પ્રથમ ટેસ્ટમાં મળેલા પરાજય બાદ યુવા કેપ્ટન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાની સામે બેઠા થવાનો પડકાર છે, ત્યારે એજબેસ્ટનના મેદાન પરની ભૂતકાળનો કંગાળ રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાની પરેશાની વધારી શકે છે. હવે બીજી જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટનમાં ભારત અને ઈંગ્લેન્ડની સિરીઝની બીજી ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે. ભારતનો રેકોર્ડ એજબેસ્ટનમાં અત્યંત કંગાળ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા આ મેદાન પર રમાયેલી આઠમાંથી એક પણ ટેસ્ટ મેચ નથી જીતી શકી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેદાન પર 8 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી સાત ઈંગ્લેન્ડ જીત્યું છે અને એકમાત્ર 1986ની ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી.

