દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોઇની સાથે ગઠબંધન નહીં કરે અને એકલા જ ચૂંટણી લડશે. આ પહેલા કોંગ્રેસે પણ દિલ્હીમાં ગઠબંધનની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

