
દિલ્હીથી મુંબઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બને ટિશ્યૂ પેપરમાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ધમકી બાદ સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે આ અફવા નીકળી હતી.
એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બરને એક ધમકી ભરેલો પત્ર મળ્યો હતો. ધમકી આપતા પત્રમાં લખવામાં આવ્યું છે ફ્લાઇટમાં બોમ્બ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 2948માં ક્રૂ મેમ્બરને ટિશ્યૂ પેપર પર બોમ્બની ધમકી મળી હતી. ફ્લાઇટમાં ધમકી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટીમને કઇ મળ્યું નહતું. તે બાદ હૉક્સ કોલ ડિકલેર કરવામાં આવ્યો હતો.
એર ઇન્ડિયાના વિમાનમાં કેટલીક ખામીઓ
ગત કેટલાક અઠવાડિયામાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કેટલીક ટેકનિકલ ખામીની સમસ્યા આવી છે. એર ઇન્ડિયાના વિમાનની સુરક્ષા અને વિશ્વસનીયતાને લઇને ચિતા વધારી દીધી છે. કેટલીક ફ્લાઇટોને રદ પણ કરવામાં આવી છે.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન થયું હતું ક્રેશ
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમ લાઇનર ફ્લાઇટ AI171 એરપોર્ટથી ઉડાન ભરવાની કેટલીક સેકન્ડ બાદ મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 મુસાફરોના મોત થયા હતા. સાથે જ મેડિકલ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક મુસાફરનો જીવ બચ્યો હતો.