
Bihar Assembly Election 2025: બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ થઈ ચુકી છે. NDA બેઠકમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શરૂઆતી સમયની વાતચીત પટનામાં થઈ ચુકી છે અને હવે જલ્દી દિલ્હીમાં વાતચીત શરૂ થશે. લોકસભા ચૂંટણીના ફોર્મ્યુલા અનુસાર, NDAની સહયોગી પાર્ટીમાં ટિકિટની વહેંચણી થવાની આશા છે. જણાવી દઈએ કે, ભાજપે 17, જેડીયુ 16, એલજીપી 5 અને હમ તેમજ રાષ્ટ્રીય લોક મોરચાએ એક-એક બેઠક પર ચૂંટણી લડી હતી.
NDAમાં શું હશે બેઠક ફોર્મ્યુલા?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેડીયુ 243માંથી 102-103 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બાકી વધેલી 40 બેઠક લોક જનશક્તિ પાર્ટી, હિન્દુસ્તાન આવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાને આપવામાં આવશે. જેમાં મોટો ભાગ એલજેપીનો હશે કારણે કે, તેમના પાંચ સાંસદ છે. આ પ્રકારે આશરે 25-18 બેઠકો મળી શકે છે. જોકે, હમને 6-7 અને રાષ્ટ્રીય લોક મોરચાને 4-5 બેઠકો આપવામાં આવી શકે છે.
જમીની હકીકતનું ધ્યાન રાખવામાં આવશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સહયોગી પાર્ટીમાં આ વાત પર સંમતિ બની ગઈ છે કે, ટિકિટ વહેંચણીમાં જમીની હકીકતનું ધ્યાન રાખવામાં આવશે. ઉમેદવાર નક્કી કરતા સમયે બીજા સહયોગી પાર્ટીના ઉમેદવારોના જાતિય બેકગ્રાઉન્ડનું પણ ધ્યાન રાખવામાં આવશે. જાતીય સમીકરણોને આધારે ટિકિટ આપવામાં આવશે. ટિકિટ વહેંચણીના સમયે એ ધ્યાન રાખવું જોઈએ કે, જો એક જિલ્લામાં અલગ-અલગ સહયોગી પાર્ટીને ટિકિટ મળે છે તો એવું ન થાય કે, એક જ જાતિના અનેક ઉમેદવાર એનડીએથી ઉતારી દેવામાં આવે. જોકે, પ્રયાસ એવો રહેશે કે, અલગ-અલગ જાતિના ઉમેદવાર હોય જેથી તમામને મત મળી શકે.
nitish
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બિહારમાં નીતિશ કુમાર જ એનડીએનો ચહેરો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારના નામ અને કામ પર ચૂંટણી લડવામાં આવશે. વળી, નીતિશ કુમારના સ્વાસ્થ્યને લઈને પણ આવી રહેલી ખબરો પર ભાજપનું કહેવું છે કે, આને મુદ્દો બનાવવું આરજેડીને ભારે પડશે. નીતિશ કુમારની સાખ અને કોલપ્રિયતા નિર્વિવાદ છે અને એનડીએને નક્કી તેનો ફાયદો થશે.
બિહારમાં નીતિશ મોટા ભાઈ
ભાજપ અને જેડીયુએ અનેક વિધાનસભા એકસાથે મળીને લડી છે, જેમાં જેડીયુએ હંમેશા ભાજપથી વધુ બેઠકો પર ચૂંટણી લડી છે. 2010ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 141 અને ભાજપે 102 બેઠક પર ચૂંટણી લડી હતી. 2015માં નીતિશ NDAથી અલગ થયા હતા. RJD અને JDU બંને બરાબર એટલે 101-101 બેઠક પર ચૂંટણી લડ્યા હતા. 2020માં નીતિશ અને ભાજપ એકસાથે આવ્યા, ત્યારે જેડીયુએ 115 અને ભાજપે 11 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં જીતન રામ માંઝી અને મુકેશ સહની એનડીએ સાથે રહ્યા. સહનીની પાર્ટીને 11 અને જીતન રામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોરચાને 7 બેઠક આપવામાં આવી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાને એનડીએથી અલગ થઈને 134 બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ ફક્ત એક જ બેઠક પર જીતી શક્યા.
જોકે, જેડીયુને લાગે છે કે, ચિરાગ પાસવાનના કારણે તેમને અનેક બેઠકો પર નુકસાન થયું અને તે ત્રીજા નંબર પર ખસી ગયા. અનેકવાર ચિરાગ પાસવાનની પાર્ટી કહી રહી છે કે, કેન્દ્રમાં કેબિનેટ મંત્રી હોવા છતા ચિરાગ પાસવાન વિધાનસભાની ચૂંટણી લડશે અને તે જ સામાન્ય બેઠક પરથી. આ વખતે ભાજપ નેતાઓનું કહેવું છે કે, ચિરાગ પાસવાનની પાર્ટીને જેટલી બેઠક મળશે તેમાંથી તે કોને ક્યાં ઊભા રાખશે તે પણ નક્કી નથી કરી શક્યા. પરંતુ, જ્યાં સુધી મુખ્યમંત્રીનો સવાલ છે, તો નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો રહેશે.