મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ગડબડ અંગેની અટકળોનો ટૂંક સમયમાં અંત આવવાનો છે. ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણનો દિવસ નક્કી કરી દેવાયો છે. એવું માનવામાં આવે છે કે શિંદે જૂથ ગૃહ મંત્રાલય અને કેટલાક મોટા કેબિનેટ મંત્રાલયો પર અડગ હતા તેમને મનાવી લેવાયા છે.

