Home / India : controversy in Maharashtra over RSS Bhaiyyaji Joshi's statement

'મુંબઈમાં મરાઠી નહીં ગુજરાતી પણ ચાલશે', ભૈયાજી જોશીના નિવેદન પર મહારાષ્ટ્રમાં વિવાદ

'મુંબઈમાં મરાઠી નહીં ગુજરાતી પણ ચાલશે', ભૈયાજી જોશીના નિવેદન પર મહારાષ્ટ્રમાં વિવાદ

RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા સુરેશ ભૈયાજી જોશીએ મહારાષ્ટ્રના મુંબઈમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મરાઠી વિશે વાત કરતાં ભૈયાજી જોશીએ કહ્યું, 'મુંબઈમાં કોઈ એક ભાષાનો દબદબો નથી. મુંબઈ આવવા માટે મરાઠી શીખવાની કોઈ જ જરૂર નથી. ગુજરાતીથી પણ અહીં કામ ચાલી જશે. આરએસએસ નેતાના આ નિવેદનથી શિવસેના અને એનસીપી ગુસ્સે ભરાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુંબઈમાં ફક્ત એક જ નહીં ઘણી ભાષાઓ છે

RSSના ભૈયાજી જોશીએ કહ્યું, 'મુંબઈમાં ફક્ત એક જ નહીં ઘણી ભાષાઓ છે. મુંબઈના દરેક ભાગમાં પોતાની ભાષા છે. ઘાટકોપર વિસ્તારની ભાષા ગુજરાતી છે. જો તમે મુંબઈમાં રહો છો અથવા અહીં આવવા માંગો છો, તો તમારે મરાઠી શીખવી જ પડે તે જરૂરી નથી.

મરાઠી ભાષા અંગે છેડાયેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે વિધાનસભામાં કહ્યું, 'મુંબઈ, મહારાષ્ટ્ર અને રાજ્ય સરકારની ભાષા મરાઠી છે.' અહીં રહેતા લોકોએ આ શીખવું જોઈએ. મરાઠી ભાષા રાજ્યની સંસ્કૃતિ અને ઓળખનો એક ભાગ છે અને તેને શીખવી એ દરેક નાગરિકની ફરજ હોવી જોઈએ.

ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ વિરોધ કર્યો 

RSS નેતાના આ નિવેદનનો શિવસેના (UBT) ના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ વિરોધ કર્યો છે. ઠાકરેએ કહ્યું, 'મુંબઈ હોય કે મહારાષ્ટ્ર, આ  ભૂમિની પહેલી ભાષા મરાઠી છે.' તમિલનાડુ કે અન્ય કોઈપણ રાજ્યમાં તમિલની જેમ મરાઠી પણ આપણું ગૌરવ છે. ભૈયાજી જોશીએ ગુજરાતીને ઘાટકોપરની ભાષા ગણાવી છે. પરંતુ આ અસ્વીકાર્ય છે. મરાઠી આપણી મુંબઈની ભાષા છે.

NCP ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ પ્રતિક્રિયા આપી

RSS નેતાના નિવેદન પર NCP ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "કેમ છો, કેમ છો", એવું લાગે છે કે હવે મુંબઈમાં ફક્ત આ જ સાંભળવા મળશે. ભૈયાજી જોશી ભાષાના મુદ્દા પર મુંબઈને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

Related News

Icon