Home / India : Jammu: Accident on Amarnath Yatra route, 36 pilgrims injured after five buses collide

Jammu: અમરનાથ યાત્રા રૂટ પર અકસ્માત, પાંચ બસો અથડાતા 36 શ્રદ્ધાળુઓ ઘાયલ

Jammu: અમરનાથ યાત્રા રૂટ પર અકસ્માત, પાંચ બસો અથડાતા 36 શ્રદ્ધાળુઓ ઘાયલ

Jammu and Kashmir Bus accident : જમ્મુના રામબનમાં શનિવારે પાંચ બસો વચ્ચે પરસ્પર ટક્કર થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના તો અહેવાલ નથી આવ્યા પણ આ અકસ્માતમાં ઓછામાં ઓછા  36 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે જે અમરનાથની તીર્થયાત્રાએ જઇ રહ્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પ માટે જતા કાફલામાં સામેલ હતી. દુર્ઘટના અંગે અધિકારીઓએ કહ્યું કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. એક બસની બ્રેક ફેઈલ થઇ જવાને કારણે તેણે અન્ય બસોને ટક્કર મારી દીધી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સહાય માટે મોકલી દેવામાં આવ્યા છે. 

 

Related News

Icon