
દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પરત ફર્યો છે. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી બન્યા પછી આજે રામલીલી ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જેમાં રાજૌરી ગાર્ડ઼નમાં ભગવો લહેરાવાવાળા મનજિંદર સિંહ સિરસા પણ રહ્યા છે.
સિરસા પહેલા અકાળીદળના નેતા હતા
સિરસા પહેલા અકાળીદળના નેતા હતા. આ સમયે ભાજપે તેમને રાજૌરી ગાર્ડન પરથી ઊભા રહ્યા હતા. જ્યાં તેમણે દમદાર જીત દાખવી હતી. તેનું પરિણામ તેમને સીધા કેબિનેટમાં એન્ટ્રી મળી ગઈ હતી.
2025ની ચૂંટણીમાં તેમને 64,132 મત મળ્યા
2025ની ચૂંટણીમાં તેમને 64,132 મત મળ્યા હતા. તો તેમના વિરોધી ચંદેલને 45,942 મત મળ્યા હતા. મનજિંદર સિંહ સિરસાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત શિરોમણી અકાળી દલના સદસ્યના રૂપમાં કરી હતી, અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ રૂપમાં કાર્ય કર્યું હતું. 2013માં પ્રથમ વખત તેઓ ચૂંટાયા હતા.
નિવર્તમાન અધ્યક્ષ અમરજીત સિંહ સરનાને હરાવીને મહત્ત્વપૂર્ણ પ્રભાવ નાખ્યો હતો. સિરસાને 2017માં આ પદ માટે ફરીથી તેમને ચૂંટવામાં આવ્યા હતા. તેમણે દિલ્હીમાં શિખ સમુદાયના નેતાના રૂપમાં તેમણે તેમની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરી હતી.
મનજિન્દર સિંહ
મનજિન્દર સિંહ સિરસાનો જન્મ 28 ફેબ્રુઆરી 1972ના રોજ થયો હતો. 12મું પૂરું કર્યા પછી તેણે પંજાબ-દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ ઓનર્સ કર્યું છે. જોકે, માય નેતાના કહેવા પ્રમાણે, તેણે અહીં માત્ર બે વર્ષ જ અભ્યાસ કર્યો હતો. મનજિંદર સિરસા સૌથી અમીર ધારાસભ્ય તરીકે ઓળખાય છે. મનજિંદર સિરસા મૂળ હરિયાણાના સિરસાનો છે. જો સંપત્તિની વાત કરીએ તો ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 248.9 કરોડ રૂપિયા છે.
શા મંત્રી બનાવ્યા?
મનજિન્દર સિંહ સિરસા એ અગ્રણી શીખ ચહેરાઓમાં સામેલ છે જે આ વખતે દિલ્હીમાં ચૂંટાયા છે. પીએમ મોદી ઘણીવાર સિરસા સાથે જોવા મળ્યા છે. તેઓ PM મોદીની ગુડબકમાં પણ છે. ભાજપના સિરસાને ટિકિટ આપવા પાછળનો વિચાર પંજાબમાં ખોવાયેલ મેદાન પાછું મેળવવાનો અને સંદેશ આપવાનો છે. ખેડૂતોના આંદોલન બાદ ભારતીય જનતા પાર્ટીને ત્યાં ફટકો પડ્યો છે. 2027માં ચૂંટણી છે, આવી સ્થિતિમાં બીજેપીનું આ માસ્ટરકાર્ડ પંજાબને મદદ કરવા માટે ઉપયોગી થઈ શકે છે.