સંસદના વિવિધ મંત્રાલયોને લગતી 24 સ્થાયી સમિતિઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુરુવારે આ સ્થાયી સમિતિઓના અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના નેતા ભર્તૃહરિ મહતાબ નાણાંકીય બાબતોની સમિતિના અધ્યક્ષ હશે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વિદેશી બાબતોની સમિતિનું નેતૃત્વ કરશે. જ્યારે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. બૃજલાલ કાયદા અને કર્મચારી મંત્રાલયની સમિતિના અધ્યક્ષ હશે.

