કોર્ટમાંથી જામીનનો ઓર્ડર છતાં યુપીની ગાઝિયાબાદ જેલમાં બંધ વ્યક્તિને મુક્ત ન કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આરોપી આફતાબને 5 લાખનું વચગાળાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના જામીનના આદેશ પછી મુક્ત ન કરવાની તપાસ ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાધીશને સોંપવામાં આવી છે.

