ટીમ ઈન્ડિયા આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બે દિગ્ગજ ખેલાડીઓએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ થોડા સમય પહેલા અશ્વિને પણ ટેસ્ટને અલવિદા કહી દીધું હતું. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમમાં સામેલ કરી શકાય છે. ઠાકુરે ઘરેલુ ક્રિકેટ અને આ સિઝનની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ઠાકુરે છેલ્લે 2023માં સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ રમી હતી.

