UK MPs condemn Pahalgam Attack: બ્રિટનના સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની(Phalagam terror Attack) નિંદા કરી છે. બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ આશા વ્યક્ત કરી કે હુમલા પાછળના ગુનેગારોને ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે. સંસદમાં પોતાના ભાષણમાં તનમનજીત સિંહ ઢેસીએ નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, 'હું પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યા છે.' નોંધનીય છે કે, પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોનાં મોત થયા છે.

