દક્ષિણ કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં એક પીડિત પરિવારની આપવીતી પ્રકાશમાં આવી છે. પીડિત યુવતીએ કહ્યું કે, જ્યારે આતંકવાદીઓ આવ્યા ત્યારે તેનો પરિવાર ડરના માર્યા તંબુમાં છુપાયેલો હતો. આતંકીઓએ છોકરીના પિતા, ૫૪ વર્ષીય સંતોષ જગદાલેને બહાર આવીને ઇસ્લામિક શ્લોક વાંચવા કહ્યું. જ્યારે તે આમ કરવામાં નિષ્ફળ ગયા, ત્યારે તેમને ત્રણ ગોળી મારી દેવામાં આવી. આતંકવાદીએ તેને એક ગોળી માથામાં, પછી કાન પાછળ અને પછી પીઠમાં મારી.

