જામનગરમાં ડિમોલિશનને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. જામનગરની રંગમતી નદીના કાંઠે આવેલ દબાણો દુર કરવા સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, હાલની હીટવેવની સ્થિતિ જોતા મકાન-ઝૂપડામાં રહેનાર પરિવારને હાલાકી થશે.

