Home / Sports : Ravi Shastri disappointed with giving rest to Jasprit Bumrah in 2nd test against England

IND vs ENG 2nd Test / બુમરાહને આરામ આપવા પર નારાજ છે રવિ શાસ્ત્રી, કહ્યું- 'ફક્ત કેપ્ટન અને કોચે જ નિર્ણય...'

IND vs ENG 2nd Test / બુમરાહને આરામ આપવા પર નારાજ છે રવિ શાસ્ત્રી, કહ્યું- 'ફક્ત કેપ્ટન અને કોચે જ નિર્ણય...'

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા આવી છે. ટીમ ઈન્ડિયા એ તેની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફારો કર્યા છે. વર્કલોડને ધ્યાનમાં રાખીને, આ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહની જગ્યાએ આકાશદીપને તક મળી છે. જોકે, ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી આ નિર્ણયથી ખૂબ જ નારાજ છે. શાસ્ત્રી કહે છે કે સિરીઝની દૃષ્ટિએ આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી અને બુમરાહને આ મેચમાં રમવું જોઈતું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બુમરાહને આરામ આપવાનો નિર્ણય રવી શાસ્ત્રીને ન ગમ્યો

રવિ શાસ્ત્રીએ કહ્યું, "મને આ નિર્ણયથી સંપૂર્ણપણે આશ્ચર્ય થયું છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મેચ છે. બુમરાહને હમણાં જ એક અઠવાડિયાનો વિરામ મળ્યો હતો. મને આશ્ચર્ય થયું છે કે બુમરાહ આ મેચ નથી રમી રહ્યો. મારા મતે, આ બાબત ખેલાડીના હાથમાંથી છીનવી લેવી જોઈએ. કેપ્ટન અને કોચિંગ સ્ટાફે પ્લેઈંગ ઈલેવન અંગે નિર્ણય લેવો જોઈએ. તેમણે નક્કી કરવું જોઈએ કે અંતિમ અગિયારમાં કોણ રમશે અને કોણ નહીં. સિરીઝની દૃષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ મેચ હતી. તેણે આ મેચ કોઈપણ કિંમતે રમવી જોઈએ. આ એક મહત્ત્વપૂર્ણ મેચ છે, જ્યાં તમારે કાઉન્ટર પંચ કરવો પડશે."

ટીમ ઈન્ડિયામાં ત્રણ ફેરફાર

ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન મેદાન પર તેની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. જસપ્રીત બુમરાહને તેના વર્કલોડને મેનેજ કરવા માટે બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. બુમરાહની જગ્યાએ આકાશદીપને તક આપવામાં આવી છે. શાર્દુલ ઠાકુર અને સાઈ સુદર્શનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે અને ટીમ મેનેજમેન્ટે તેમની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.

Related News

Icon