જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે. આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી પરિક્રમા યોજાશે, ત્યારે આ વખતે યાત્રામાં જનારા લોકોએ કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ સંતોએ પણ સ્થાનિક પ્રશાસન સામે કેટલીક માગ રાખી છે.

