Ahemdabad Railway News: અમદાવાદની રેલ્વે સેવાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. RLDR દ્વારા શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના સ્તરે ઉન્નત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે રેલવે દ્વારા 70 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે રેલવે જન સંપર્ક અધિકારી અજય સોલંકીએ જણાવ્યું કે, આગામી 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી કેટલીક મહત્વની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

