Home / Gujarat / Banaskantha : 20 tourists from Palanpur stranded in Jammu and Kashmir return to their hometown

VIDEO: જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પાલનપુરના 20 પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા, સર્જાયા ભાવુક દ્રશ્યો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઘણા પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા. હાલની પરિસ્થતિમાં ધીરે ધીરે તે પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે. આ હુમલા પહેલા કાશ્મીરના અનેક વિસ્તારમાં ભારે વર્ષા અને ભૂસ્ખલનની ઘાટણ બની હતી. જેમાં પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા. જો કે હાલ 6 દિવસ બાદ પોતાને વતન પરત ફરતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસખલની ઘટના બની હતી. જેમાં બનાસકાંઠના પાલનપુરના અને ગાંધીનગરના 50 જેટલાં પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઇવે 14 ઉપર ફસાયા હતા. જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા. જો કે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર, સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડયા હતા. જોકે હવે 6 દિવસ બાદ  તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. માત્ર કુદરતી હોનારત જ નહીં પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં સર્જયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી..

આર્મી કેમ્પમાં પ્રવાસીઓને શરણ અપાયા હતા

સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલું જમ્મુ કાશ્મીરએ પહલગામ આંતકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાનો પણ ભોગ બન્યું હતું. જોકે 12 એપ્રિલે જમ્મુ કાશ્મીર ગયેલા અને પરત ફરી રહેલા બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા.  આ પ્રવાસીઓને ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઇવે નંબર 14 ઉપર ભૂસખલન થવાથી ફસાઈ હતી. ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા. જોકે કલાકો સુધી મદદ માટે તડપતા આ ગુજરાતીઓની ગુહાર સાંભળી રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહી આ પ્રવાસીઓની મદદે આવ્યા હતા. તમામ પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પમાં ખસેડાયા હતા અને ત્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ હતી.

6 દિવસ બાદ માદરે વતન પહોંચ્યા પ્રવાસીઓ

જોકે આ પ્રવાસીઓ કુદરતી હોનારતથી તો પીડિત હતા જ પરંતુ સાથે જ કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલાનું સાંભળી હચમચી ગયા હતા. જેના સમાચાર પરિવારજનોને મળતા તેઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ આખરે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા ભૂસ્ખલનમાં ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો પુનઃખોલતા આ તમામ પ્રવાસીઓને સહી સલામત પોતાના વતન મોકલાયા હતા. છેલ્લા છ દિવસથી કાશ્મીર હોનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરે વતન પહોંચતા પરિવારજનો આ પ્રવાસીઓને લેવા પહોંચ્યા હતા અને ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કુદરતી હોનારત અને આંતકવાદીઓના હુમલાબાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આંતકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી છે.

 

Related News

Icon