દેશમાં પંજાબ, ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામો આવ્યા બાદ આમ આદમી પાર્ટીના લીડર કેજરીવાલે ટ્વિટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે, ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના શાનદાર વિજય બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત અને પંજાબના લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. બંને જગ્યાએ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં વિજયનું માર્જિન લગભગ બમણું રહ્યું છે.

