ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયલના ટોચના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈની હત્યાની સંભાવનાને નકારી શકાય નહીં. વોલ સ્ટ્રીટ જનરલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ખામેનેઈને ટાર્ગેટ બનાવી શકે છે. આ યુદ્ધ ત્યાં સુધી સમાપ્ત નહીં થાય, જ્યાં સુધી ઈરાન સ્વેચ્છાએ પોતાનો પરમાણુ કાર્યક્રમ રદ નહીં કરે. જો તેણે રદ ન કર્યો તો અમે તેને ફરીથી શરૂ કરવા લાયક છોડીશું નહીં.

