
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર વિવાદને કારણે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. કમપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે આઈકેડીઆરસીમાં 1999થી 2017 દરનિયાન સ્ટેમ સેલ થેરાપી હેઠળના 741 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કુલ 2352 દર્દીઓમાંથી 2132 દર્દીઓમાં સ્ટેમ સેલ થેરાપી કારગત નીવડી નહોતી.
91 ટકા કિસ્સામાં સ્ટેમ સેલ થેરાપી નિષ્ફળ
આમ 91 ટકા કિસ્સામાં સ્ટેમ સેલ થેરાપી નિષ્ફળ ગઈ છે, તેવો આ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 569 દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાટ નિષ્ફળ રહ્યા હતા, જ્યારે 110 દર્દીમાં એવા કોમ્પલિકેશન ઊભા થયા કે જેથી તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યા નહીં. નેશનલ એપેક્સ કમિટી ફોર સ્ટેમ્પ સેલ રિસર્ચ એન્ડ થેરાપીનમા આદેશથી 2017માં સ્ટેમ સેલ થેરાપી બંધ કરવામાં આવી હતી.
સિવિલની કિડની હોસ્પિટલમાં સ્ટેમ સેલ થેરાપી
કુલ નિષ્ફળ કેસ-2132
કુલ દર્દી મૃત્યુ-741
કિડની ટ્રાન્સપ્લાન્ચ નિષ્ફળ ગયેલા દર્દીઓ 569
કોમ્પલિકેશનથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નિષ્ફળ દર્દી- 110
સ્ટેમ સેલ હેઠળ ક્લિનિકલ રિસર્ચના દર્દી- 2352
સ્ટેમ સેલ રિસર્ચ એન્ડ થેરાપીની પૂર્વ મંજૂરી વગર ક્લિનિકલ ટ્રાયલ કરાયા તેવું કેગનું અવલોકન
આ ઉપરાંત સિવિલ કિડની હોસ્પિટલ દ્વારા ઈન્સિટટ્યશ્નલ કમિટી ફોર સ્ટેમ સેલ રિસર્ચ એન્ડ થેરાપીની પૂર્વ મંજૂરી વગર ક્લિનિકલ ટ્રાયલ કરાયા તેવું કેગનું અવલોકન છે, કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ અંગે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ર્ષ 2013 પૂર્વે કિડની હોસ્પિટલમાં પોતાની ઈન્સિટટ્યુશ્રલ એથિક્લ કમિટી હયાત નહોતી એટલે નિર્ણયો ઈન્સિટટ્યુનલ ઈન્ટર્નલ રિવ્યુ બોર્ડ દ્વારા લેવામાં આવતા હતા.
કિડની હોસ્પિટલ પાસે ખુલાસો મંગાયો
નેશનલ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર દ્વારા કિડની વિદેશી નાગરિકોને બારોબાર આપવા તેમજ મંજૂર વગર સ્ટેમ સેલ થેરાપીના ક્લિનિકલ ટ્રાયલ કરવાને મુદ્દે 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ જમા કરવા આદેશ કરાયો છે.