Bharuch News: દાહોદ બાદ ભરૂચમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચ જીલ્લાના ૫૬ ગામોના વિકાસ કાર્યોમાં ૭.૩૦ કરોડના કૌભાંડની તપાસ માંગવામાં આવી છે. ભરૂચ જીલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કરાયાની ફરિયાદ નોંધાઈ છે.

