Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અને તેની આસપાસ દિવસે પણ રીંછના આંટાફેરા થતા હોય છે ત્યારે કોઈવાર રીંછ માનવ પર હુમલો કરવાની ઘટના સામે આવતી હોય છે. જો કે, આ વખતે એક જ દિવસમાં રીંછે એક ખેડૂત પર અને દીપડાએ એક જ પરિવારના ત્રણ લોકો પર હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી
છે. લોકોમાં રીંછ અને દીપડાના હુમલાને લઈ ડરનો માહોલ છે.

