Home / Lifestyle / Health : Men feel tired and weak due to these 3 reasons, these diet will prove beneficial

Health: આ 3 કારણોથી પુરુષોને આવે છે નબળાઈ, આહારમાં સામેલ કરો આ ચીજ પછી જુઓ કમાલ

Health: આ 3 કારણોથી પુરુષોને આવે છે નબળાઈ, આહારમાં સામેલ કરો આ ચીજ પછી જુઓ કમાલ

ઘણા પુરુષોને વારંવાર નબળાઈ અને થાકની ફરિયાદ રહે છે, જેની અસર તેમના રોજિંદા જીવન અને કામકાજ પર પણ પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે તાત્કાલિક તમારા આહારમાં કેટલીક વસ્તુઓ શામેલ કરી લેવી જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઘણા પુરુષોને દરરોજ નબળાઈ અને થાકની સમસ્યા રહે છે. જીવનશૈલી અને તબીબી પરિબળો એનર્જીની કમીનું કારણ બની શકે છે. જેમ કે, એનિમિયા, ટેસ્ટોસ્ટેરોનનું નીચું સ્તર અને ખરાબ ખોરાકની આદતો પણ નબળાઈનું કારણ હોઇ શકે છે. આ ઉપરાંત, કેટલાક પરિબળો પુરુષો માટે ખૂબ અલગ હોય છે અને તે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં વધુ સામાન્ય હોય છે.

જીવનશૈલી, નબળી ઊંઘ, વ્યાયામ અને આહાર પણ નબળાઈ અને થાક માટે જવાબદાર હોય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે પુરુષો શા માટે ઓછી એનર્જી અનુભવે છે અને તેઓ તેમના શરીરમાં એનર્જી કેવી રીતે વધારી શકે છે.

આહાર

ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ, જેમ કે પ્રોટીન, સારા કાર્બોહાઇડ્રેટ્સ, જરૂરી કેલરી અને વિટામિન્સ, શરીરમાં થાક અથવા એનર્જીની ઉણપનું કારણ બની શકે છે. પુષ્કળ પ્રમાણમાં શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક વ્યક્તિના શરીરમાં એનર્જી વધારી શકે છે.

વ્યાયામ

ઘણા લોકોને લાગી શકે છે કે વ્યાયામ કર્યા વિના તેઓ ઓછી ઊર્જા અનુભવે છે. તેમાં કોઈ શંકા નથી કે વ્યાયામ શરીરમાં ઊર્જાનું સ્તર વધારે છે. પરંતુ સમય અને ઉંમર સાથે ખૂબ વધારે વ્યાયામ પણ થાકનું કારણ બની શકે છે. તેથી ઉંમરની સાથે સંતુલિત રીતે વ્યાયામ કરવો જરૂરી છે.

ઓછું ટેસ્ટોસ્ટેરોન સ્તર 

ટેસ્ટોસ્ટેરોન એક જાતીય હોર્મોન છે. તે માનસિક અને શારીરિક ઊર્જાના સ્તરોને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ જેમ પુરુષોની ઉંમર વધે છે, તેમના શરીરમાં સ્વાભાવિક રીતે ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઘટે છે. ટેસ્ટોસ્ટેરોનનું નીચું સ્તર, જેને હાઇપોગોનાડિઝમ પણ કહેવાય છે, ઓછી એનર્જી , થાક અને ડિપ્રેશનનું કારણ બની શકે છે.

કેવી રીતે પોતાને એનર્જેટિક રાખી શકાય 

શરીરને એનર્જેટિક રાખવા માટે તમારે સૌથી પહેલાં તો પાણીનું સેવન વધારવું જોઈએ. પાણી શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, એન્ટીઑક્સિડન્ટ્સથી ભરપૂર ફળો, આખા અનાજનું સેવન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક જેમ કે ઇંડા અને ચિકનનો પણ આહારમાં સમાવેશ  કરવો જોઈએ.

 

Related News

Icon