Home / Lifestyle / Travel : This city is called the Tea Capital of North India

Travel Place / ઉત્તર ભારતનું 'Tea Capital' કહેવાય છે આ શહેર, ફરવા માટે પણ છે બેસ્ટ સ્થળ

Travel Place / ઉત્તર ભારતનું 'Tea Capital' કહેવાય છે આ શહેર, ફરવા માટે પણ છે બેસ્ટ સ્થળ

ધૌલાધરની સુંદર પર્વતમાળાથી લઈને લીલાછમ ચાના બગીચા સુધી, પાલમપુરમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. જ્યાં તમે શાંતિપૂર્ણ ક્ષણો વિતાવી શકો છો અને સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો. માર્ચથી જૂન સુધી મુલાકાત લેવાનું ખૂબ જ સારું માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન પણ આ શહેર એક અલગ જ સુંદરતા ધારણ કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પાલમપુરનું નામ સાંભળ્યું હશે. આ શહેર સુંદર પાઈન વૃક્ષો અને ચાના બગીચાઓથી ઘેરાયેલું છે, જે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત છે. તેને ઉત્તર ભારતની ચાની રાજધાની (Tea Capital) પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ પાલમપુર જઈને કઈ જગ્યાઓએ ફરી શકાય છે.

બીર બિલિંગ

પાલમપુરથી થોડા જ અંતરે સ્થિત, બીર બિલિંગને વિશ્વના શ્રેષ્ઠ પેરાગ્લાઈડિંગ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. ધૌલાધર ટેકરીઓ વચ્ચે લીલીછમ ખીણોમાં પેરાગ્લાઈડિંગ એક યાદગાર અનુભવ છે. જો તમને પણ એડવેન્ચરનો શોખ હોય, તો આ સ્થળ તમારા માટે છે.

ચાના બગીચા

તેના ચાના બગીચાઓ માટે પ્રખ્યાત, પાલમપુરમાં તમને સુંદર દૃશ્યો જ નહીં જોવા મળે પરંતુ, તમે અહીં ચાના પાંદડા તોડવાથી લઈને ચાની ભૂકી બનાવવા સુધીની સમગ્ર પ્રક્રિયાને નજીકથી જોઈ શકો છો.

શિવ મંદિર

અહીં 13મી સદીમાં બનેલું શિવ મંદિર આવેલું છે, જેનું સ્થાપત્ય તમને મંત્રમુગ્ધ કરશે. તે હિમાચલ પ્રદેશના સૌથી જૂના મંદિરોમાંનું એક માનવામાં આવે છે અને ખૂબ પ્રખ્યાત છે. ઈતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ મંદિર જોવાલાયક છે.

સૌરભ વન વિહાર

કારગિલ નાયક કેપ્ટન સૌરભ કાલિયાના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું છે, આ સુંદર સૌરભ વન વિહાર પાલમપુરમાં સ્થિત છે. આ સ્થળ પિકનિક અને બોટિંગ માટે ખૂબ જ સારું છે.

ન્યુગલ ખાડ

પાલમપુર નજીકના પર્વતોમાંથી વહેતું આ ન્યુગલ ખાડ પિકનિક અને ફોટોગ્રાફી માટે ખૂબ જ સારું છે. સામે ધૌલાધર પર્વત અને નીચે વહેતો ધોધ, સુંદર દૃશ્યો વચ્ચે આરામથી બેસવા અને ચિત્રો લેવા માટે યોગ્ય છે.

તાશી જોંગ મઠ

આ ફક્ત એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ઉદાહરણ પણ છે. તે તિબેટી સાધુઓનું ઘર છે, જ્યાં તમને કેટલીક શાંતિપૂર્ણ ક્ષણો વિતાવવાની તક પણ મળશે.

પાલમપુર કેવી રીતે પહોંચવું

પાલમપુરનું સૌથી નજીકનું એરપોર્ટ કાંગડા એરપોર્ટ છે, જે દિલ્હી અને અન્ય મુખ્ય શહેરો સાથે ખૂબ સારી રીતે જોડાયેલું છે. અહીં પહોંચ્યા પછી, તમે પાલમપુર માટે ટેક્સી અથવા બસ લઈ શકો છો જે તમને 1થી 1.5 કલાકમાં ત્યાં લઈ જશે.

રેલ દ્વારા પણ પાલમપુર પહોંચવું સરળ છે. દિલ્હીથી પાલમપુર પહોંચવામાં 10-12 કલાક લાગે છે. તમે તમારી કાર અથવા ટેક્સી દ્વારા પણ અહીં પહોંચી શકો છો. 

Related News

Icon