
વિમાન દ્વારા આપણે ફક્ત થોડા કલાકોમાં કોઈપણ જગ્યાએ પહોંચી શકીએ છીએ. પરિવહનના અન્ય માધ્યમોની સરખામણીમાં હવાઈ મુસાફરીમાં સૌથી ઓછો સમય લાગે છે. જોકે, કેટલાક લોકોને હવાઈ મુસાફરી ડરામણી લાગે છે, આ સ્થિતિને એરોફોબિયા (Aerophobia) કહેવાય છે. વિશ્વભરમાં 2થી 5 ટકા લોકો આ ફોબિયાથી પીડાય છે અને તેમાં પુરૂષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે.
આંકડા દર્શાવે છે કે પરિવહનના અન્ય માધ્યમોની તુલનામાં હવાઈ મુસાફરીમાં મૃત્યુનો દર સૌથી ઓછો છે, પરંતુ આ આંકડા પણ કેટલાક મુસાફરોનો દર દૂર નથી કરતા. આ ફોબિયાથી પીડિત લોકો વિમાન દુર્ઘટનાથી નથી ડરતા, પરંતુ તેઓ ઉડાનથી ડરે છે. ફ્લાઈટના ટેક-ઓફ કે લેન્ડિંગ અથવા પ્લેનમાં બંધ થવા જેવી બાબતો તેમને ડરાવે છે.
કેવી રીતે દૂર કરવો Aerophobia
સૌ પ્રથમ તો આ ડરના મૂળ સુધી પહોંચવું મહત્ત્વપૂર્ણ છે. આ ભૂતકાળના કેટલાક અકસ્માતો અથવા ભયને કારણે હોઈ શકે છે. જો પીડિતને તેના ડર વિશે વિગતવાર પૂછવામાં આવે, તો તેના કારણ સુધી પહોંચવું સરળ બની શકે છે.
એક્સપોઝર થેરાપી આમાં મદદ કરી શકે છે. એકવાર ડરનું કારણ જાણી લીધા પછી, એરોફોબિયા (Aerophobia) નો ધીમે ધીમે સામનો કરી શકાય છે. તમે તમારા નર્વસ સિસ્ટમને શાંત કરવાની રીતો પણ શીખી શકો છો.
આ ડરને દૂર કરવામાં બિહેવિયરલ થેરાપી પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ થેરાપીની મદદથી, લોકો તેમના મનમાં આવતા ડરામણા વિચારોને ઘટાડવામાં મદદ મેળવી શકે છે.
ફ્લાઈટ દરમિયાન તમારે તમારું ધ્યાન ભટકાવવાની જરૂર છે. પ્રથમ, ફ્લાઈટમાં પાંચ વસ્તુઓ શોધો જે તમે જોઈ શકો છો, ચાર વસ્તુઓ જે તમે સ્પર્શ કરી શકો છો, ત્રણ વસ્તુઓ જે તમે સાંભળી શકો છો, બે વસ્તુઓ જે તમે સૂંઘી શકો છો અને એક વસ્તુ જે તમે ચાખી શકો છો. આનાથી તમારું મન આ કોયડામાં વ્યસ્ત રહેશે અને તમે ઉડવાનો ડર ભૂલી જશો.
મનોચિકિત્સકો માને છે કે ફ્લાઈટમાં ચઢતા પહેલા કંઈક ખાંડવાળી વસ્તુ પીવાથી કે ખાવાથી તમારો ડર ઓછો થવાને બદલે વધે છે. ખાંડ અને આલ્કોહોલ એકસાથે તમારા બ્લડ સુગરનું સ્તર વધારે છે, જેના કારણે હૃદયના ધબકારા વધે છે.
ટેકઓફ પહેલાં ક્રૂ સાથે વાત કરવાથી પણ તમારું મન શાંત થઈ શકે છે. આ સમય દરમિયાન, તમે તેમની પાસેથી ઉડાન સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પણ શીખી શકો છો.