ગુજરાતનું ઉના અને ગીર ગઢડા તાલુકે એટલે સિંહોનું બીજું ઘર કહેવાય છે. જેટલા સિંહો આ વિસ્તારના જંગલમાં નથી એથી વધુ રેવન્યુ વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે સિંહો વાંરવાર રહેંણાક વિસ્તારમાં આવી જાય છે. ઉના તાલુકાના પાતાપુર ગામમાં દસ દિવસમાં 8 વખત સિંહો ગામની અંદર આવે છે. સિંહ ગામમાં આવે પશુઓનો શિકાર કરે છે.
ત્રણેય શખ્સોએ હાલકા પાડીને સિંહને ભગાડ્યો
મળતા અહેવાલ પ્રમાણે ગત રાત્રે 11 વાગ્યો ગામના ફાર્મમમાં ત્રણ મિત્રો હિંચકા પર આરામ ફરમાવતા હતા, તે દરમિયાન અચાનક સિંહ આવી ચડ્યો હતો. ત્રણેય શખ્સોએ હાલકા પાડીને સિંહને ભગાડ્યો હતો. થોડિવાર માટે તમામના જીવ તાળવે ચોંટ્યા હતા.