Junagadh news: જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથક અને તેની આસપાસ છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. જેથી કેશોદ તાલુકામાં વ્યાજના વિષ ચક્રમાં ફસાતાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

