ભગવાન મહાવીર સ્વામીનો જન્મ 599માં એટલે કે છઠ્ઠી સદીમાં વૈશાલી રાજ્યમાં થયો હતો. મહાવીર સ્વામીએ તેમનું સમસ્ત જીવન જનકલ્યાણના કાર્યોને સમર્પિત કરી અહિંસા પરમો ધર્મનો સંદેશ આપ્યો હતો. જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીની જન્મતિથિને પગલે દેશભરમાં આ પવિત્ર તહેવારની ઉજવણી થઈ હતી. જેમાં જૈન ધર્મના શ્રાવક, શ્રાવિકાઓ, સંતો તેમજ ભક્તો સહિત સૌએ આનંદ અને ઉત્સવથી તહેવારની ઉજવણી કરી હતી.

