Mahisagar news: રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ સતત વધી હોવાનું સામે આવ્યું છે. મહીસાગર જિલ્લામાં ખાનપુરના દેગમાડા પાસે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે બે વ્યકિત ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.

