Dahod news: રાજ્યના છેવાડાના જિલ્લા એવા દાહોદમાં ચકચારી મનરેગા કૌભાંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે 35 એજન્સીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ હોવાનો ચકચારી ઘટસ્ફોટ થયો છે. મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી છે. જેથી દાહોદ સેશન્સ કોર્ટે આ જામીન અરજીની સુનાવણી નવમી મેના રોજ હાથ ધરવામાં આવશે.

