Ahmedabad news: અમદાવાદ શહેરમાં એકવાર ફરી દબાણ હટાવ અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું છે. એસ.જી.હાઈવે પર આવેલા મકરબા અને અલીફ રો-હાઉસમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં એએમસી તંત્રએ 292 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી સરકારી જમીનનો ખાલી કરાવી હતી. આ તમામ મકાનો કોર્પોરેશનના રિઝર્વ્ડ પ્લોટ અને ટીપી રોડ પર બનાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

