Home / Gujarat / Bhavnagar : Mehul Choksi's Rs 128 crore fraud with jewellers owner

ભાગેડુ મેહુલ ચોકસીનું ભાવનગર કનેક્શન, જવેલર્સ માલિક સાથે 128 કરોડની છેતરપિંડી સામે આવી

ભાગેડુ મેહુલ ચોકસીનું ભાવનગર કનેક્શન, જવેલર્સ માલિક સાથે 128 કરોડની છેતરપિંડી સામે આવી

ભારત સરકારના અને દેશના નાગરિકોના કરોડો રૂપિયા લઇને ફરાર થયેલા મેહુલ ચોક્સીને બેલ્જિયમ ખાતે ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલા મેહુલ ચોક્સીને ભારત સરકાર પરત લાવશે. મળતી માહિતી પ્રમાણે, સરકાર તેમજ દેશના નાગરિકોના આશરે 13,000 કરોડ રૂપિયા મામલે કાર્યવાહી કરાશે. ત્યારે ભાવનગરના દિવ્યનિર્માણ જ્વેલર્સવાળા દિગ્વિજયસિંહ જાડેજા સાથે પણ મેહુલ ચોક્સીએ મોટી કિંમતની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

106 કિલો સોનું ઉપરાંત રૂપિયા ૩૦ કરોડની છેતરપિંડી

જ્વેલર્સના માલિક દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, વર્ષ 2014માં મેહુલ ચોક્સીએ છેતરપિંડી કરી 106 કિલો સોનુ ઉપરાંત રૂપિયા ૩૦ કરોડ કુલ મળીને વર્તમાન કિંમતના રૂપિયા 128 કરોડની છેતરપિંડી કરી છે. જે અંગે વેપારીએ મોદી સરકારનો આભાર માન્યો હતો. અને હવે મેહુલ ચોક્સી ઝડપાયા બાદ યોગ્ય રીતે તપાસ સરકાર દ્વારા કરવામાં આવે અને ન્યાય મળે તેવી માંગ કરી છે.

 

 

Related News

Icon