પહેલગામ હુમલાને લઈ રાજકોટમાં વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ પહેલગામ આંતકવાદી હુમલાને વખોડ્યો છે. નિવેદન આપતાં તેમણે જણાવ્યું કે, બોર્ડરની સુરક્ષામાં સરકાર ફેલ રહી છે. જે દેશ બહારના લોકો છે તે ગેરકાયદેસર રહેતા હોય તો તેની સામે કાર્યવાહી કરવાની જ હોય, પોલીસ અને તંત્રએ કામગીરી ન કરી હોવાથી આટલા ઘૂસણખોરો ઘુસ્યા છે. કોઈ પણ દેશનો નાગરિક હોય પણ તે ગેરકાયદેસર વ્યક્તિ હોય તો તેને રહેવા દેવો ન જોઈએ.

