ગાંધીનગરમાં આજે મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોનો અભિવાદન સમારોહ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકામાં પંચાયત મંત્રી રહેલા બચુ ખાબડનું નામ જ નથી. આમંત્રણ પત્રિકામાં સમારોહના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં સી.આર.પાટીલનું નામ જ છે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ જાહેર કાર્યક્રમમાંથી રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડને બાકાત રાખવામાં આવી રહ્યાં છે.

